સ તયા શ્રદ્ધયા યુક્તસ્તસ્યારાધનમીહતે ।
લભતે ચ તતઃ કામાન્મયૈવ વિહિતાન્હિ તાન્ ॥ ૨૨॥
સ:—તે; તયા—તે સાથે; શ્રદ્ધયા—શ્રદ્ધાથી; યુક્ત:—યુક્ત; તસ્ય—તેમની; આરાધનમ્—આરાધના; ઇહતે—વ્યસ્ત થવા પ્રયાસ કરે છે; લભતે—પ્રાપ્ત કરે છે; ચ—અને; તત:—તેનાથી; કામાન્—ઈચ્છાઓ; મયા—મારા દ્વારા; એવ—એકલા; વિહિતાન્—પ્રદાન; હિ—નિશ્ચિત; તાન્—તે.
BG 7.22: શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે. પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છે.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
લભતે અર્થાત્ “તેઓ પ્રાપ્ત કરે છે”. સ્વર્ગીય દેવતાઓના ભક્તોને સંબંધિત દેવતાની આરાધના દ્વારા તેમના વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ વાસ્તવમાં એ દેવતાઓ નહીં, પરંતુ ભગવાન જ આ લાભ પ્રદાન કરે છે. આ શ્લોકનો સ્પષ્ટ અર્થ છે કે સ્વર્ગીય દેવતાઓ ભૌતિક ફળોની અનુમતિ આપવાનો અધિકાર ધરાવતા નથી; તેઓ તેમના ભક્તને ત્યારે જ આ ફળો પ્રદાન કરી શકે છે કે જયારે ભગવાન તેની અનુમતિ આપે છે. પરંતુ અલ્પજ્ઞાની લોકો એવું તારણ કાઢે છે કે આ સહાય તેમને તે દેવતા દ્વારા પ્રાપ્ત થઈ છે, જેમની તેમણે આરાધના કરી છે.